શિક્ષકનિર્મિત કસોટી
શિક્ષકનિર્મિત કસોટી
શિક્ષક રચિત કસોટીઓ સિદ્ધિમાપન કસોટીઓ હોય છે. આ કસોટી ઓમાં નિબંધ પ્રકારના પ્રશ્નો ટૂંકા ઉત્તર પ્રશ્નો અને અનાત્મલક્ષી પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવે છે. આ કસોટીઓનો મુખ્યહેતુ વિધાર્થી ઓની સિદ્ધિ માપવાનું હોય છે. આ પ્રકારની કસોટી કોઈ એક શાળાના વર્ગને લક્ષમાં રાખીને તૈયાર કરવામાં આવતી હોય છે. આથી, શિક્ષક રચિત કસોટી ઓનો ઉપયોગ જે તે વર્ગ પૂરતો મર્યાદિત હોય છે.
ફાયદા
મર્યાદા
શિક્ષક રચિત કસોટીઓ સિદ્ધિમાપન કસોટીઓ હોય છે. આ કસોટી ઓમાં નિબંધ પ્રકારના પ્રશ્નો ટૂંકા ઉત્તર પ્રશ્નો અને અનાત્મલક્ષી પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવે છે. આ કસોટીઓનો મુખ્યહેતુ વિધાર્થી ઓની સિદ્ધિ માપવાનું હોય છે. આ પ્રકારની કસોટી કોઈ એક શાળાના વર્ગને લક્ષમાં રાખીને તૈયાર કરવામાં આવતી હોય છે. આથી, શિક્ષક રચિત કસોટી ઓનો ઉપયોગ જે તે વર્ગ પૂરતો મર્યાદિત હોય છે.
ફાયદા
- આ કસોટી રચવી બહુ સરળ છે.
- આ કસોટી તૈયાર કરતાં બહુ સમય લાગતો નથી.
- શિક્ષક જુદા-જુદા હેતુના મૂલ્યાંકન માટે જુદા-જુદા પ્રકારના ઉપયોગ કરી કસોટી તૈયાર કરી શકે.
- શિક્ષક આ પ્રકારની કસોટી પ્રશ્નોમાં જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી શકે.
મર્યાદા
- આ કસોટી કોઈ શાળા કે વર્ગ માટે તૈયાર કરવામાં આવતી હોવાથી બીજી શાળા કે વર્ગ માટે તેનો ઉપયોગ બહુ અસરકારક રહેતો નથી. કેટલીક વખત આ કસોટીઓ સહેલી પડે છે તો કેટલીક વખત તે ખૂબ અઘરી પડતી હોય છે.
- શિક્ષક રચિત કસોટીઓમા કસોટીની યથાર્થતા અને વિશ્વનીયતા નક્કી કરવાની તસસ્ટી પણ લેવામાં આવતી નથી.
- શિક્ષક રચિત કસોટીના પ્રાપ્તાંકોનું અર્થઘટન પણ ચોક્કસ રીતે થઈ શકતું નથી.
- શિક્ષક રચિત કસોટીઓ રચવી સરળ છે પણ તે ખામીવાળી રહેવાનો પણ એટલો જ સંભવ છે.
- શિક્ષક રચિત કસોટી દ્વારા મળતું પરિણામ વિશ્વસનીય હોતું નથી.
Comments
Post a Comment