શિક્ષકનિર્મિત કસોટી

શિક્ષકનિર્મિત કસોટી
શિક્ષક રચિત કસોટીઓ સિદ્ધિમાપન કસોટીઓ હોય છે. આ કસોટી ઓમાં નિબંધ પ્રકારના પ્રશ્નો ટૂંકા ઉત્તર પ્રશ્નો અને અનાત્મલક્ષી  પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવે છે. આ કસોટીઓનો મુખ્યહેતુ વિધાર્થી ઓની સિદ્ધિ માપવાનું હોય છે. આ પ્રકારની કસોટી કોઈ એક શાળાના વર્ગને લક્ષમાં રાખીને તૈયાર કરવામાં આવતી હોય છે. આથી, શિક્ષક રચિત કસોટી ઓનો ઉપયોગ જે તે વર્ગ પૂરતો મર્યાદિત હોય છે.


ફાયદા

  • આ કસોટી રચવી બહુ સરળ છે. 
  • આ કસોટી તૈયાર કરતાં બહુ સમય લાગતો નથી. 
  • શિક્ષક જુદા-જુદા હેતુના મૂલ્યાંકન માટે જુદા-જુદા પ્રકારના ઉપયોગ કરી કસોટી તૈયાર કરી શકે. 
  • શિક્ષક આ પ્રકારની કસોટી પ્રશ્નોમાં જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી શકે. 

મર્યાદા 

  • આ કસોટી કોઈ શાળા કે વર્ગ માટે તૈયાર કરવામાં આવતી હોવાથી બીજી શાળા કે વર્ગ માટે તેનો ઉપયોગ બહુ અસરકારક રહેતો નથી. કેટલીક વખત આ કસોટીઓ સહેલી પડે છે તો કેટલીક વખત તે ખૂબ અઘરી પડતી હોય છે. 
  • શિક્ષક રચિત કસોટીઓમા કસોટીની યથાર્થતા અને વિશ્વનીયતા નક્કી કરવાની તસસ્ટી પણ લેવામાં આવતી નથી. 
  • શિક્ષક રચિત કસોટીના પ્રાપ્તાંકોનું અર્થઘટન પણ ચોક્કસ રીતે થઈ શકતું નથી. 
  • શિક્ષક રચિત કસોટીઓ રચવી સરળ છે પણ તે ખામીવાળી રહેવાનો પણ એટલો જ સંભવ છે. 
  • શિક્ષક રચિત કસોટી દ્વારા મળતું પરિણામ વિશ્વસનીય હોતું નથી.   

Comments

Popular posts from this blog

પ્રોજેકટ પદ્ધતિ

સ્વાધ્યાય પદ્ધતિ

વ્યાખ્યાન પદ્ધતિ